નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર શું કહ્યું બોલીવુડે?

નવી દિલ્હીઃ બોલીવુડના કેટલાય સ્ટાર્સે વર્ષો બાદ નિર્ભયા મામલે મળેલા ન્યાય અને એક માં ની જીતના વખાણ કર્યા છે. આમાં સુષ્મિતા સેન, ઋષિ કપૂર, પ્રીતિ ઝિન્ટા, રિતેશ દેશમુખનો સમાવેશ થાય છે. અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું કે, એક માતાની નમ્રતાને હાથ જોડીને પ્રણામ. આશા દેવી આ બધુ જોતા રહ્યા અને આખરે ન્યાય મળ્યો. દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરે કહ્યું કે, જેવું કરો તેવું ભરો. ચલો આનાથી માત્ર ભારત જ નહી પરંતુ આખા વિશ્વમાં એક દાખલો બેસશે. દુષ્કર્મની સજા માત્ર મૃત્યુ છે. તમારે નારીત્વનું સન્માન કરવું પડશે. એ લોકો પર શરમ આવે છે કે જેમના કારણે ફાંસી આપવામાં મોડુ થયું છે. જય હિંદ.

બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે, જો નિર્ભયાના દોષિતોને 2012 માં લટકાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયિક પ્રણાલી મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓને રોકી શકી હોત. ભારત સરકારને ન્યાયિક સુધારો કરવાની જરુર છે.

એક્ટર રિતેશ દેશમુખે કહ્યું કે, ખૂબ રાહ જોવી પડી પરંતુ આખરે ન્યાય મળી ગયો. તેમણે લખ્યું કે, આ પ્રકારના જઘન્ય ગુના કરનારા રાક્ષસોમાં ડર પેદા કરવા માટે કડક કાયદા લાગૂ કરવા જોઈએ. કઠોર દંડ આપવો અને ફાસ્ટ કોર્ટની સ્થાપના કરવી તે જ એકમાત્ર ઉપાય છે.