હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો

રોહતકઃ  હરિયાણા વિધાનસભા ચૂંટણી માંટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે 20 સૂત્રીય સંકલ્પ પત્રમાં અનેક વચનો આપ્યાં છે. સંકલ્પ પત્ર જારી કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડે કોંગ્રેસના ઘોષણાપત્રને છદ્મ ગણાવ્યો હતો.

  • આ મેનિફેસ્ટોમાં અગ્નિવીરને સરકારી નોકરીની ગેરંટી આપવામાં આવી છે.
  • મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ રકમ કોંગ્રેસ દ્વારા ગઈ કાલે જાહેર કરાયેલા મેનિફેસ્ટો કરતાં 100 રૂપિયા વધુ છે.
  • આ મેનિફેસ્ટોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સહિતનાં 20 વચનો સામેલ છે.
  • આ સાથે આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલોમાં ડાયાલિસિસ મફત હશે અને 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત હશે.
  • 24 પાકની MSP પર ખરીદી થશે
  • ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવાનું વચન
  • બધા OBC ઉદ્યોગ સાહસિકોને રૂ. 25 લાખની લોન
  • પછાત જાતો માટે અલગ કલ્યાણ બોર્ડ
  • બે લાખ લોકોને પાકી સરકારી નોકરી
  • ફરીદાબાદ-ગુરુગ્રામની વચ્ચે ઇન્ટરસિટી એક્સપ્રેસ સેવા
  • સાયન્ટિફિક ફોર્મલ હેઠળ પેન્શનમાં વધારો

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્ય પ્રભારી સતીશ પુનિયા, હરિયાણા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પૂર્વ મંત્રી રામ બિલાસ શર્મા, કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ, કુલદીપ બિશ્નોઈ ઓમપ્રકાશ ધનખડ, સુભાષ બરાલા, સુધા બરાલા. યાદવ, અશોક તંવર પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસનો રિયલ મેનિફેસ્ટો જમીન કૌભાંડ હતો. ખેડૂતોની જમીન પચાવી પાડવી. તેમની જમીનની કેટેગરી બદલવી. તેથી જ આજે આપણે મેનિફેસ્ટો વિશે વાત કરીએ છીએ, આ મેનિફેસ્ટો આપણા માટે એટલો જ મહત્વપૂર્ણ છે. એટલા માટે અમે નોન-સ્ટોપ હરિયાણા કહ્યું છે. અમે હરિયાણાને નોન સ્ટોપ સેવા આપીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.