બંગલાદેશમાં મંદિરો, હિન્દુઓ પર થઈ રહ્યા છે હુમલાઃ વિદેશપ્રધાન

નવી દિલ્હીઃ બંગલાદેશમાં સ્થિતિ બેકાબૂ થઈ ચૂકી છે. હિંસા અને આગ ચાંપવાની ઘટનાની વચ્ચે તોફાનોએ અલ્પસંખ્યક હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ ભીડ ગણીગણીને હિન્દુઓને સતત નિશાન બનાવી રહી છે. ઘરોમાં આગ લગાડવામાં આવી રહી છે. દુકાનોને લૂંટવામાં આવી રહી છે. તોફાનીઓએ ઇસ્કોન મંદિરને આગ હવાલે કરી દીધું હતું. બંગલાદેશી મિડિયા ધ ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર 27 જિલ્લાઓમાં હિન્દુઓનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. કીમતી સામાનને લૂંટવામાં આવી રહ્યો છે. મંદિરો પણ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિન્દુ કાર્યોથી જોડાયેલા પૂરા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરે તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી.

વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. સરકારી ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો હતો. જુલાઈમાં પૂરા મહિનો હિંસા ચાલી છે. અમે શાંતિ દ્વારા સમાધાન કાઢવાની અપીલ કરી છે. અમારા માટે ચિંતાની વાત એ છે કે અલ્પસંખ્યકોની દુકાનો અને મંદિરો પર કેટલીય જગ્યાએ હુમલા થયા છે, એમ તેમણે કહ્યું હતું.

બંગલાદેશ અમારી બહુ નજીક છે. જાન્યુઆરીથી ત્યાં ટેન્શન છે. હિંસા જૂન અને જુલાઈમાં થઈ છે. અમે ત્યાં રાજકીય પાર્ટીઓ સાથે સંપર્કમાં છીએ. સુપ્રીમ કોર્ટના આદેશ પછી બંગલાદેશમાં સ્થિતિ બદલાઈ હતી. સૌથી વધુ ત્યાં હુમલા અલ્પસંખ્યકો પર થઈ રહ્યા છે. અમે ભારતીય કોમ્યુનિટીના ટચમાં છીએ. અમારું દૂતાવાસ ત્યાં સક્રિય છે, એમ તેમણે કહ્યું હતું.