આસારામ બાપુને કોરોના થયો, હોસ્પિટલમાં દાખલ કરાયા

જોધપુરઃ જાણીતા આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુનો કોરોનાવાઈરસ બીમારીની ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને અહીંની જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાતીય સતામણીને લગતા એક કેસના સંબંધમાં આસારામ છેલ્લા સાત વર્ષથી જોધપુરની જેલમાં છે. ગઈ કાલે એમની તબિયત નાદુરસ્ત થતાં એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે એમનું ઓક્સિજન લેવલ નીચું ગયું હોવાનું અને એમને કોરોના થયો હોવાનું માલૂમ પડ્યું હતું. એમને હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે.