કોરોનાના 795 નવા કેસ, 58નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 795 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 58 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 15,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 184.87 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,29,839 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,21,416 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,96,369 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1280 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 12,054એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,66,332 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 79.15 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.24 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.33 ટકા છે.

દેશમાં 184.87 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,84,87,33,081 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 16,17,668 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.