કોરોનાના 67,208 વધુ નવા કેસ, 2330નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 67,208 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2330 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,97,00,313 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,81,903  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,84,91,670  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,03,570 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,26,740એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 19,31,249 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.78 ટકા છે.

દેશમાં 26.55 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 26,55,19,251 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34,63,961 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.