કોરોનાના 7189 નવા કેસ, 387નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન 17 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં ઓમિક્રોનના કુલ 108 કેસો સાથે દેશમાં 415 કેસ ઓમિક્રોનના નોંધવામાં આવ્યા છે. દેશમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7189 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 387  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,79,815 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,79,520 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,23,263 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7286 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 77,032એ પહોંચી છે, જે 579 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,12,195 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 141.01 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,41,01,26,404 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 66,09,113 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.