કોરોનાના 6358 નવા કેસ, 293નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 653એ પહોંચી છે, જેમાં 186 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે.  ઓમિક્રોનના કેસો 21 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 167 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 165 કેસો છે. ઓમિક્રોનના ગુજરાતમાં હાલ 49 કેસો નોંધવામાં આવ્યા છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6358  નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 2.6 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 293  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,99,691 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,80,290 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,43,945 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6450 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 75,456એ પહોંચી છે, જે 579 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,35,495 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 67.40 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 142.46 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,42,46,81,736 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 72,87,547 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.