કોરોનાના 50,848 વધુ નવા કેસ, 1358નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 50,848 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 82 દિવસોમાં કોરોનાના દૈનિક કેસો સૌથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1358 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,00,28,709 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,90,660  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,89,94,855  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68,817 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,43,194એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.30 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 19,01,056 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.14 ટકા છે.

ડેલ્ટા વેરિયેન્ટ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના 40થી વધુ કેસો નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના કેસો માત્ર ત્રણ રાજ્યો- કેરળ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાંથી પણ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં 21, મધ્ય પ્રદેશ 6, કેરળ, 3, પંજાબ એક, તામિલનાડુ 3, આંધ્ર પ્રદેશ 1, જમ્મુ, 1, પંજાબમાં 1 કેસ આવ્યા છે.

દેશમાં 29.46 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 29,46,39,511 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 54,24,374 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.