કોરોનાના 45,352 નવા કેસ, 366નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 3.7 ટકાનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,352 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 366 લોકોનાં મોત થયાં છે. કેરળમાં ગુરુવારે કોરોનાના 32,097 કેસો નોંધાયા છે, જેથી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 41,22,133એ પહોંચી છે. જ્યારે 188 લોકોનાં મોત થયાં છે.

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,29,03,289 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,39,895 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,20,63,616 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,791 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,99,778એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.45 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,66,334 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.76 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 67.09 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 67,09,59,968 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 74,84,333 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.