કોરોનાના 42,015 વધુ નવા કેસ, 3998નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ દેશમાં કોરોનાથી થયેલા મોતોને મામલે મોટો ઉછાળો જોવા મળ્યો છે. મોતોના આંકડાઓમાં આ ઉછાળો મહારાષ્ટ્રમાં સંશોધિત આંકડાને કારણે થયો છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,015 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3998 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,12,16,337 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,18,480 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,03,90,687  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,977 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,07,170એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગઈ કાલે 18.52,140 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે.

દેશમાં 41.54 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 41,54,72,455 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34,25,446 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.