કોરોનાના 41,383 વધુ નવા કેસ, 507નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,383 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 507 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,12,57,720 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,18,987 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,04,29,339  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 38,652 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,09,394એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.35 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,18,439 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે.

દેશમાં 41.78 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 41,78,51,151 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22,77,679 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.