કોરોનાના 40,120 વધુ નવા કેસ, 585નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના વાઇરસના નવા કેસોમાં ઉતારચઢાવ જારી છે. દેશમાં ફરી એક વાર નવા કેસો 40,000ને પાર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 40,120 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 585 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,21,17,826 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,30,254 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,13,02,345 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42,295 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,85,227એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.46 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,70,495 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 48.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 52.95 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 52,95,82,956 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 57,31,577 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.