કોરોનાના 3,48,421 વધુ નવા કેસ, 4205નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં બીજી લહેર થોડી ધીમી પડી છે. જેથી હવે કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,48,421 નવા કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડા પણ ભયાનક છે.  છેલ્લા 24 કલાકમાં 4205 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,33,40,938 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,54,197 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,93,82,642  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,55,338 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,04099 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.04 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.

દેશમાં 17.52 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 17,52,35,991 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 24,46,674 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.