કોરોનાના 3,32,730ના નવા કેસ, 2263નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,32,730 નવા કેસ સામે આવ્યા છે.  આ સાથે સતત સાતમા દિવસે દેશમાં અઢી લાખથી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2263 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,62,63,695 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,86,920 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,36,48,159  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,93,279 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 24,28,616 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.92 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.15 ટકા થયો છે.

દેશમાં 13.54 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 13,54,78,420 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 31,47,782 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.