કોરોનાના 30,256 નવા કેસ, 295નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થયો હતો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 30,256 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનામાં 1.6 ટકા ઓછા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 19,653 નવા કેસો નોંધાયા છે અને 152 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 295 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,34,78,419 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,45,133 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,27,15,105 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43,938 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,18,181એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.72 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,77,607 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.18 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 80.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 80,85,68,144 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 37,78,296 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.