કોરોનાના 2,63,533 વધુ નવા કેસ, 4329નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં બીજી લહેર કહેર વરસાવી રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,63,533 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4329 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,52,28,996 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,78,719 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,15,96,512 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 4,22,436 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 33,53,765એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.10 ટકા થયો છે.

જો સંક્રમણની વાત કરીએ તો પોઝિટિવિટી દર 14.09 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 18.69 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 18.44 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 18,44,53,149 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,10,418 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.