કોરોનાના 26,115 નવા કેસ, 252નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,115 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનામાં ઓછા છે. એ સાથે કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 252 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,35,04,534 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,45,385 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,27,49,574 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,469 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,09,575એ પહોંચી છે, જે છેલ્લા 184 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,13,951 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 81.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 96,46,778 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.