કોરોનાના 2,51,209 નવા કેસઃ 627નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસો હવે અઢી લાખની ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલના કોરોના 2.86 લાખ કેસોની તુલનાએ સાધારણ ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના વાઇરસના કેસોમાં મોટા ભાગના કેસો ઓમિક્રોન વેરિયન્ટના છે અને હવે એ મુખ્ય વેરિયેન્ટ બની ગયો છે. આ ઉપરાંત દેશમાં ડેલ્ટા વેરિયેન્ટના પણ કેસો મોટી સંખ્યામાં અને એનો પ્રકોપ પણ જારી છે, એમ કેન્દ્રએ કહ્યું હતું.

 દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,06,22,709 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,92,327 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 15.88 ટકા થયો છે. સાપ્તાહિક સંક્રમણ દર 17.47 ટકા છે.  દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,80,24,771 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,47,443 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,05,611એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,82,307 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 72.37 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 164.44 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,64,44,73,216 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 57,35,692 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.