કોરોનાના 2124 નવા કેસ,17નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2124 નવા કેસ નોંધાયા છે,  જે ગઈ કાલની 1675ની તુલનાએ 26.8 ટકા વધુ છે. છેલ્લા કલાકમાં 17 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 192.67થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 15,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,42,192 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,507 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,02,714 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1977 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 14,971એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,58,924 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.79 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.69 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.49 ટકા છે.

દેશમાં 192.67 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,92,67,44,769 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,27,544 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.