કોરોનાના 17,296 નવા કેસ, 407નાં મોત

નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 17,296 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 407 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 14 દિવસથી નવા કોરોના વાઇરસના કેસ 10,000થી વધુ આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,90,401 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 15,301 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,85,636 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,89,463એ પહોંચી છે. રિકવરી રેટ 58.24 ટકાએ પહોંચ્યો છે.  

દેશમાં 77 લાખ લોકોનો કોરોના ટેસ્ટ

મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધી 77,76,228 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 25 જૂન સુધી 2,15,446 ટેસ્ટ થયા છે. જે સૌથી વધુ ટેસ્ટ છે. પોઝિટિવિટી રેટ 8.02 ટકાએ પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં  કોરોનાના આશરે 1.50 લાખ નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 4841 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આશરે 1,47,741 થઈ ગઈ છે, જેમાંથી 6931 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધી 8,48,026 લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

વિશ્વમાં કોરોનાથી 97 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,91,783 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 97,10,205એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.