કોરોનાના 1,72,433 નવા કેસઃ 1008નાં મોત

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના 190થી વધુ દેશો કોરોના વાઇરસથી પ્રભાવિત છે. વિશ્વમાં અત્યાર સુધી 38.14 કરોડથી લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ રોગચાળાથી 56 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, ત્યારે દેશમાં કોરોનાનો નવા કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,72,433 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 6.8 ટકાનો વધારો થયો છે. જોકે ગઈ કાલના કોરોના 1.67 લાખ કેસો નોંધાયા હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1008 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,18,03,318 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 4,98,983 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 9.26 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,97,70,414 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,59,107 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 15,33,921એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.14 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,69,449 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 73.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 167.87 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,67,87,93,137 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 55,10,693 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.