અંતિમ સંસ્કારમાં ખુશીની ધૂન ગાતા આ જોસેફ વેસાવકર….

મુંબઈઃ કોઈપણના અંતિમ સંસ્કાર હોય અને બાજુમાં કોઈ શોકની જગ્યાએ જિંદગીની ધુન વગાડી રહ્યું હોય, તો આ થોડું અતડું લાગે. પરંતુ 70 વર્ષના જોસેફ વેસાવકરે આને પોતાના જીવનનું મિશન બનાવી લીધું છે. તેમનું માનવું છે કે મૃત્યુ તો સનાતન સત્ય છે અને બાદમાં વ્યક્તિ અનંતમાં ચાલ્યો જાય છે અને આની તો ઉજવણી કરવી જોઈએ. જોસેફ પોતાની ફિલોસોફી અને ટ્રંપેટ પર પોતાના મ્યૂઝિક માટે ખૂબ જાણીતા છે. અંતિમ સંસ્કાર સિવાય તે બોલીવુડ ફિલ્મોમાં પણ સંગીત આપી ચૂક્યા છે.

જોસેફના ફેમિલીમાં તેઓ 10 ભાઈ-બહેન હતા. તેમણે જણાવ્યું કે મને ટ્રંપેટ મારા પિતાએ વગાડતા શિખવાડ્યું છે. તેઓ જણાવે છે કે મેં સૌથી પહેલા મારી શાળામાં પ્લે કર્યું હતું. મને પહેલાથી રિધમની સમજ છે. તેઓ 7 વર્ષની ઉંમરથી અંતિમ સંસ્કારોમાં ટ્રંપેટ વગાડી રહ્યા છે. તેઓ જણાવે છે કે, મારા પિતા એક બેંડમાં હતા કે જે અંતિમ સંસ્કારમાં પ્લે કરતા હતા. તેઓ માત્ર ક્લાસિકલ અને ચર્ચ મ્યૂઝિક અને ટ્રંમબોન, ક્લૈરિનેટ, ફ્રેંચ હોર્ન, ટ્રંપેટ અને સેક્સોફોન વગાડતા હતા. એક બાળક તરીકે મેં આ જોયું અને તેમાં રસ વધતો ગયો.

જોસેફ માત્ર ઈસાઈ કાર્યક્રમોમાં જ નહી, પરંતુ મરાઠી, સિંધી અને મુસ્લિમોના ત્યાં ટ્રંપેટ વગાડે છે. આવી જ એક ઘટના યાદ કરતા તેમણે જણાવ્યું કે, એક 93 વર્ષની જૈન મહિલાનું રસ્તા વચ્ચોવચ નિધન થઈ ગયું. 1970 માં તે 9 દિવસ સુધી એક જૈન મંદિરમાં ઉપવાસ કરી રહી હતી. તેમની મોહન જ્વેલર્સ નામની એક દુકાન હતી. તેમનો પરિવાર મારી પાસે આવ્યો અને કહ્યું કે મારા બાના અંતિમ સંસ્કારમાં પ્લે કરો. તેમના પાર્થિવ શરિરને એક ટેમ્પોમાં સજાવેલા સિંહાસન પર રાખવામાં આવ્યો હતો અને અમે બોગી માર્ચ અને વેન ધ સેંટ્સ ગો માર્ચિગ ઈન પ્લે કરી રહ્યા હતા. તમામ કૈથલિક્સ એ વાતથી અચંબિત રહી ગયા કે હું માઉન્ટ કાર્મેલ ચર્ચથી ઉંધી દિશામાં કેમ જઈ રહ્યો છું.

તેઓ જણાવે છે કે, જ્યારે હું બ્લેક શુટ અને ટાઈ પહેરું છું તો લોકો પૂછે છે કે હવે કોનું નિધન થયુ? તેઓ જણાવે છે કે, હું યૂ આર માય સનશાઈન અને સેંટ્સ ગો માર્ચિંગ પ્લે કરું છું. બોગી માર્ચ પણ પ્લે કરે છે કારણ કે તે વિદાય ગીત છે, એવા લોકો માટે કે જે અનંત દુનિયામાં જઈ રહ્યા છે. આપણે એમને તેમના જીવનની અંતિમ યાત્રાની યાત્રામાં ખુશી-ખુશી વિદાય આપવી જોઈએ. આપણે મોતથી ભાગી ન શકીએ. દરેકને મરવાનું છે. આપણે બધા દુઃખનું જીવન જીવી રહ્યા છીએ.