PM મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

મંગળવારે એટલે કે આવતીકાલે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. એટલે હવે માત્ર 25 બેઠકો પર મતદાન થશે. તો બીજી તરફ મતદાન કરવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આજે અમદાવાદ આવશે. આવતીકાલે સવારે 7-30 કલાકે વડાપ્રધાન અમદાવાદના રાણીપમાં મતદાન કરવાના છે. PM મોદી જે સ્કૂલમાં મતદાન કરવાના છે, તેમાં સાબરમતી વિધાનસભા લાગુ થાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PMના મતદાન સમયે હાજર રહેશે. વડાપ્રધાન જે વિધાનસભામાં મતદાન કરવાના છે, તે અમિત શાહની ગાંધીનગર લોકસભાના ક્ષેત્રમાં જ લાગે છે. એટલે એવુ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે જ મતદાન કરવાના છે. બીજી તરફ આવતીકાલે સવારે 10-30 કલાકે અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવાના છે. અમિત શાહ જે વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કરવાના છે તે નારણપુરા છે, જે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં જ આવે છે. રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં PM મોદી મતદાન કરવાના છે. PM મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. નિશાન સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરાયું છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને SPGના અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. PM મોદી 6 મેના રોજ રાત્રે અમદાવાદ આવશે. વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરવાના છે.