ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે બૉલિવૂડ લિરિસિસ્ટ જાવેદ અખ્તરે પાડોશી દેશના જનરલ આસિમ મુનીર સામે આંખ લાલ કરી થે. જાવેદ અખ્તરનું કહેવું છે કે મુનિરે ખૂબ જ અસંવેદનશીલ ભાષણ આપ્યું છે જેમાં તે હિંદુઓને ગાળો આપી રહ્યાં છે. આટલું જ જાવેદ અખ્તરે પાકિસ્તાનને તેની કાયરતા યાદ અપાવી જ્યારે કારગિલ યુદ્ધ બાદ તેમણે પોતાના જ સૈનિકોની લાશો લેવાની ના પાડી દીધી હતી.
રાજકારણી કપિલ સિબ્બલ સાથેની વાતચીત દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે ભારત સામાન્ય પાકિસ્તાનીઓને બદનામ કરવા નથી ઈચ્છતું પણ તેના પ્રતિનિધિઓના અસંવેદનશીલ કમેન્ટ પર તેણે નારાજગી વ્યક્ત કરી છે. સંગીતકારે વધુમાં ઉમેર્યુ કે, કોઈ પણ દેશ એકજેવો નથી રહેતો. કોઈ દેશનો નાગરિક એક જેવો નથી હોતો. જો કોઈ દેશની સરકાર ખરાબ છે તો તેની અસર સૌથી પહેલા તેના નાગરિકો પર પડશે…આપણને માત્ર સરકાર, સેના અને કટ્ટરપંથીઓથી સમસ્યા હોવી જોઈએ. આપણી સહાનુભૂતિ એ નિર્દોષ લોકો સાથે હોવી જોઈએ જે તેમના કારણે પીડિત છે.
જાવેદ મુનીર પર ગુસ્સો વ્યક્ત કર્યો
જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં રહેતા લોકોની સ્થિતિને ખરાબ ગણાવતાં કહ્યું કે,’મેં યુટ્યુબ પર તેના સેના પ્રમુખનું ભાષણ જોયું. તે કેટલો અસંવેદનશીલ માણસ લાગી રહ્યો છે.નિઃશંકપણે જો તમને લાગે છે કે અમે ખરાબ છીએ તો ભારતીયોને ગાળો આપો પણ તમે હિંદુઓને કેમ ગાળ આપી રહ્યા છો? શું તેમને ખ્યાલ નથી કે પાકિસ્તાનમાં પણ હિંદુઓ રહે છે?શું તમારા તમારા લોકોનું સન્માન ન કરવું જોઈએ? તમે કેવા માણસ છો?તમે આખરે શું કરી રહ્યા છો? તમારામાં સમજણ ન નથી.’
જનરલ મુનીરે ઓક્યું હતું ઝેર
જાવેદ જનરલ આસિમ મુનીરના એ ભાષણની વાત કરી રહ્યાં હતાં જેમાં, મુનીરે કહ્યું હતું કે,’આપણાં પૂર્વજોનું માનવું હતું કે આપણે જીવનના દરેક પાંસાએ હિન્દુઓથી અલગ છીએ.આપણો ધર્મ અલગ છે. આપણા રિતિ-રિવાજો અલગ છે.આપણી પરંપરાઓ અલગ છે.આપણા વિચારો અલગ છે.આપણી મહત્વકાંક્ષા અલગ છે.’
