ITRA દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી

જામનગર: આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના ITRAએ ૧૦મા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કર્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આયુર્વેદના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.સંસ્થાના કાર્યકારી ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી. જે. પાટગિરીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં ITRAના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે સંસ્થાના ડિન, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગ અધ્યક્ષો અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા. આયુર્વેદના સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટે ITRA દ્વારા વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.