ઇસ્કોનના પુજારી ચિન્મય દાસને જામીન મળ્યા

ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસને 6 મહિના પછી જામીન મળ્યા છે. તેમને બાંગ્લાદેશની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. ચિન્મય દાસની ગયા વર્ષે નવેમ્બરમાં રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ચિત્તાગોંગ કોર્ટમાં જામીન મેળવવાના અનેક નિષ્ફળ પ્રયાસો બાદ, ચિન્મય દાસના વકીલે આખરે ઢાકામાં બાંગ્લાદેશ હાઈકોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં તેમને જામીન અપાવ્યા.

તમને જણાવી દઈએ કે શેખ હસીનાના શાસનના અંત પછી, ચિન્મય દાસ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ માટે એક અગ્રણી અવાજ તરીકે ઉભરી આવ્યા હતા. આ પછી, 25 નવેમ્બરના રોજ, ઢાકા પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચ દ્વારા રાજદ્રોહના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ, તેમણે 26 નવેમ્બરના રોજ ચિત્તાગોંગ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેને કોર્ટે ફગાવી દીધી. ત્યારથી તે જેલમાં હતો.