કોરોનાના ભારતીય વેરિયન્ટ વિશ્વ માટે ચિંતાજનકઃ WHO

જિનિવાઃ ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેરથી સૌથી વધુ સંક્રમિત છે, પણ ભારતમાં તબાહી મચાવી રહેલો કોરોનાનો આ નવો વેરિયન્ટ હવે વિશ્વ માટે પરેશાનીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સોમવારે કહ્યું હતું કે કોરોનાના ભારતીય વેરિયન્ટ ઘણા વધુ સંક્રમક છે અને એ વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ભારતમાં આ નવા વેરિયેન્ટ को B.1.617ને નામથી ઓળખવામાં આવી રહ્યા છે. UNની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે કોવિડના આ નવા વેરિયેન્ટ ભારતમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલી વાર જોવા મળ્યા હતા. કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ  ઓરિજિનિલની તુલનામાં વધુ સરળતાથી પ્રસરી રહ્યા છે. એ પણ આશંકા છે કે સંભવતઃ નવા વેરિયેન્ટે રસીની બચાવ માટે કેટલાક પ્રતિકારક વિકસિત કરી લીધા છે. આવામાં WHOએ વૈશ્વિક સ્તરે ચિંતાના વિષયમાં વર્ગીકૃત કર્યા છે.      આ પહેલાં કોરોનાના ત્રણ વેરિયેન્ટ માલૂમ પડ્યા હતા, જે યુકે, બ્રાઝિલિયન અને સાઉથ આફ્રિકન વેરિયન્ટના રૂપમાં ઓળખવામાં આવે છે. આ વેરિયેન્ટ કોરોનાના મૂળ વાઇરસથી વધુ ખતરનાક અને સંક્રમક માનવામાં આવે છે. ભારતમાં કોરોનાથી સ્થિતિ બદથી બદતર છે અને ભારતને એમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે.