ભારત શેખ હસીનાને મદદ કરશે તો સહયોગ નહીં: BNP

નવી દિલ્હીઃ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની મુખ્ય પ્રતિદ્વંદ્વી બંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ઢાકાથી ભાગીને ભારત પહોંચતાં સ્પષ્ટ રીતે નારાજ છે. વયોવૃદ્ધ BNP પદાધિકારી ગાયેશ્વર રોયે 1991માં BNPના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી હતા અને પાર્ટીના સ્થાયી સમિતિના સભ્ય છે. તેમણે જણાવ્યું હતું કે BNPનું માનવું છે કે બંગલાદેશ અને ભારતને આપસી સહયોગ કરવો જોઈએ. ભારત સરકારે એ ભાવનાને સમજવી પડશે અને એ ભાવનાનું અનુરૂપ વ્યવહાર કરવો પડશે.

જો તમે શત્રુની મદદ કરશો અને પરસ્પર સહયોગનું સન્માનની અપેક્ષા રાખશો તો મુશ્કેલી થશે. અમારા ભૂતપૂર્વ વિદેશ મંત્રી (હસીના સરકારમાં)એ ગઈ ચૂંટણી પહેલાં એ કહ્યું હતું કે ભારત શેખ હસીનાની ઓફિસમાં વાપસીમાં મદદ કરશે. શેખ હસીનાનો ખર્ચ ભારત ઉઠાવી રહ્યું છે. ભારતીય અને બંગલાદેશના લોકોને એકબીજાથી કોઈ મુશ્કેલી નથી.

BNPને ભારતવિરોધી પૂર્વગ્રહવાળી પાર્ટી માનવામાં આવે છે. આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે શું ભારતે એક પાર્ટીને પ્રોત્સાહન આપવું જોઈએ, પૂરા દેશને નહીં? હિન્દુઓ પર કથિત હુમલાના અહેવાલો અને BNPના અલ્પસંખ્યક વિરોધી હોવાની ધારણા વિશે પૂછવામાં આવતાં રોયે કહ્યું હતું કે એવી ધારણા બનાવવામાં આવી છે કે BNP હિન્દુવિરોધી છે. BNP બંગલાદેશમાં વિવિધ સમાજોના લોકોથી બની છે અને બધા ધર્મો માટે ઊભી છે.

ભારતે અમને આઝાદી અપાવવામાં મદદ કરી છે, એટલે મેં ભારતની વિરુદ્ધ ના થઈએ. અમારે અમારા દેશવાસીઓ માટેમ મેડિકલ સુવિધાઓ, અન્ય માલસામાન માટે ભારતની આવશ્યકતા છે, એમ રોયે કહ્યું હતું.