અમદાવાદ, મુંબઈ માટે ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની એતિહાદની યોજના

અબુધાબીઃ વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે ટ્રાવેલ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતાં, પરંતુ એ હળવાં કરવામાં આવતાં UAEની એતિહાદ એરવેઝ વિશ્વનાં 58 સ્થળોએ એની ફ્લાઇટ્સ શરૂ કરશે, જેમાં મધ્ય-પૂર્વ, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. UAEના નિયમનકારી અધિકારીઓ દ્વારા નાગરિકો અને રહેવાસીઓ માટે પ્રવાસનાં નિયંત્રણો હળવા કરવામાં આવતાં એરલાઇન વધુ શહેરોમાં એની સર્વિસ શરૂ કરી રહી છે.

સેવાઓને 45 ટકા કાર્યરત કરવાનું લક્ષ્ય

એતિહાદ એવિયેશન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોની ડગલાસ કહે છે કે અમે વૈશ્વિક નેટવર્કના વધુ શહેરોમાં વિસ્તરણ કરીને અમારી ફ્લાઇટ્સ સામાન્ય સેવાઓમાં સ્થાપિત કરવા માગીએ છીએ. UAEમાંથી પેસેન્જરો માટેના પ્રતિબંધો હળવા કરવા એ અમારી પ્રાથમિકતા છે, જે અબુ ધાબીના વિકાસ માટે જરૂરી છે. ઓગસ્ટ સુધીમાં અમારું લક્ષ્ય કોવિડ-19ની પહેલાંની ક્ષમતાના 45 ટકાએ કાર્યરત કરવાનું છે.

પેસેન્જરોને સલામત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી 

અમે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેશિયલ પેસેન્જર, કાર્ગો અને માનવતાવાદી ફ્લાઇટ્સનું સંચાલન કરીએ છીએ. હવે બજાર ખૂલ્યું છે ત્યારે પ્રાથમિકતા નેટવર્કને સ્થાપવાની, સલામત અને આરોગ્યને પ્રાધાન્ય આપવાની છે, પેસેન્જરોને પ્રવાસ દરમ્યાન સલામત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં અમે અમારી કામગીરીને સુધારવાની, અમારી પ્રોડક્ટને ઓફર કરવાની સમીક્ષા કરવા અને મેઇનટેનન્સ કાર્યક્રમ હાથ ધરવાની તક ઝડપી લીધી હતી. અમે અમારા ગ્રાહકો અને ભાગીદારોને તેમની નિષ્ઠા માટે આભારી છીએ.

એતિહાદ એરવેઝે સરકારી મંજૂરીઓને આધીન અબુધાબીથી અથવા વાયા અનેક સ્થળોએ ફ્લાઇટ શરૂ કરી છે, જેમાં…

નોર્થ અમેરિકા

શિકાગો, ન્યુ યોર્ક JFK, ટોરોન્ટો, વોશિંગ્ટન D.C.

યુરોપ

એમ્સ્ટરડમ, એથેન્સ, બાર્સેલોના, બેલગ્રેડ, બ્રસેલ્સ, ડબલિન, ડસેલડોર્ફ, ફ્રેન્કફર્ટ, જિનિવા, ઇસ્તનબુલ, લંડન હીથ્રો, માડ્રિડ, માન્ચેસ્ટર, મિલાન, મોસ્કો, મ્યુનિચ, પેરિસ ચાર્લ્સ ડી ગૌલી, રોમ, ઝુરિચ.

મધ્ય પૂર્વ અને આફ્રિકા

અમાન, બહેરિન, બૈરુત, કૈરો, કાસાબ્લાન્કા, કુવૈત, મસ્કત, રબાત, રિયાધ, સેશલ્સ.

એશિયા:

અમદાવાદ, બાકુ, બેંગકોક, બેંગલુરુ, ચેન્નાઈ, કોલંબો, દિલ્હી, હૈદરાબાદ, ઇસ્લામાબાદ, જાકાર્તા, કરાચી, કોચી, કોલકાતા, કોઝિકોડ, કુઆલા લમ્પુર, લાહોર, મનિલા, મેલ, મુંબઇ, સિઓલ, સિંગાપોર, તિરુવનંતપુરમ, ટોક્યો.

ઓસ્ટ્રેલિયા

મેલબોર્ન, સિડની

અબુધાબી સ્થિત એરલાઇન કહે છે કે આરોગ્યનાં કડક ધારાધોરણો અને સેનિસેશન પ્રોગ્રામ થકી પેસેન્જર માનસિક શાંતિથી પ્રવાસનો આનંદ લઈ શકે છે. એરલાઇને અબુધાબી એરપોર્ટ પર પેસેન્જરોને મદદ કરવા માટે અને ફ્લાઇટની તૈયારી કરવા માટે વેલનેસ એમ્બસેડર્સ સેવા પણ શરૂ કરી છે.