નવી દિલ્હીઃ ચીનના તિયાનજિનમાં SCO સમિટ પૂર્ણ થઈ છે. આ સમિટમાં એશિયાઈ દેશોની એકતા જોવા મળી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને શી જિનપિંગની રાજકીય કેમિસ્ટ્રી પણ મહત્વપૂર્ણ રહી હતી. હવે એક તરફ ચીનમાં SCO સમિટ ચાલી રહી હતી તો બીજી તરફ અમેરિકી દૂતાવાસનો ભારત માટેનો સંદેશ ચર્ચાનો વિષય બની ગયો છે. આ સંદેશ બાદ એવો નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યો છે કે ભારતની કૂટનીતિને કારણે અમેરિકાના તેવર બદલાયા છે.
અમેરિકાએ ભારતની પ્રશંસામાં શું કહ્યુંભારતમાં અમેરિકી દૂતાવાસે એક સોશિયલ મિડિયા પોસ્ટ મારફતે અમેરિકા અને ભારતની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો છે. બંને દેશોની મજબૂત બનતી મિત્રતાનો પણ હવાલો આપ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચેની ભાગીદારી સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. આ 21મી સદીના નિર્ણાયક સંબંધોમાંથી એક છે.
અમેરિકાનો સૂર કેવી રીતે બદલાયો?
અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોનું X નિવેદન પણ લખ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીનો આધાર બંને દેશોના લોકોની ઊંડી મિત્રતા છે. હવે જાણકારો અમેરિકાની ટાઈમિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જે અમેરિકા છેલ્લા ઘણા દિવસોથી ટેરિફ મારફતે ભારતને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, એ અચાનકથી ભાગીદારીની વાત કરવા લાગ્યું છે. બીજી તરફ ભારતે SCO સમિટમાં નામ લીધા વગર અમેરિકા પર નિશાનો સાધ્યું હતું અને વડા પ્રધાન મોદીએ જાતે જ ઘણા દેશોને સંદેશ આપ્યો હતો.
અમેરિકા કરી રહ્યું છે ડેમેજ કન્ટ્રોલ?હવે એક તરફ મોદીના નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ભારત સાથે મિત્રતાનો હાથ આગળ વધાર્યો છે. બંને દેશોની નજીદીકીઓએ પણ અમેરિકા અસ્વસ્થ કર્યું છે. જાણકારો માની રહ્યા છે કે ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ભારત સાથે અમેરિકાની મિત્રતા નબળી પડી છે, એવામાં હવે કોઈક રીતે ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
