નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ થયું છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશોના DGMO વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો આકાશ, જળ અને જમીન પર તાત્કાલિક હુમલાઓ બંધ કરવામાં આવશે. એ સાથે જ બંને દેશો વચ્ચે સીઝફાયર થઈ ગયું છે. મિસ્રીએ જણાવ્યું હતું કે 12 મેએ બંને દેશોના અધિકારીઓ આગળની વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન અતિશય વધી ગયું હતું. વિદેશ સચિવ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હચો કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આ દાવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 48 કલાકથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેઓ પોતે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. બંનેએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે વાતચીત કરી છે.
#BreakingNews: भारत-पाक युद्धविराम के लिए तैयार’, पाक DGMO ने अपने भारतीय समकक्ष को फ़ोन कर कहा: विदेश मंत्रालय #operation_sindoor #OperationSindoor #IndiaPakistanTensions @MEAIndia pic.twitter.com/zVfsQSkOoQ
— डीडी न्यूज़ (@DDNewsHindi) May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ થયેલી લાંબી રાત્રિના સંવાદ બાદ મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા છે. બંને દેશોએ બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કર્યો તે બદલ અભિનંદન. આ મામલે ધ્યાન આપવાને બદલ આભાર.
— Marco Rubio (@marcorubio) May 10, 2025
અમેરિકી વિદેશ મંત્રીનું નિવેદન:
વિદેશ મંત્રી માર્કો રૂબિઓએ X પર લખ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શહબાઝ શરીફ, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, પાક સેનાના પ્રમુખ અસીમ મુનિર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અસીમ મલિક સહિતના વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાન અધિકારીઓ સાથે વાતચીત કરી છે. મને આ વાતની જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ અને વ્યાપક મુદ્દાઓ પર સંવાદ શરૂ કરવા માટે સંમત થઈ ગઈ છે. શાંતિનો માર્ગ પસંદ કરવા માટે વડા પ્રધાન મોદી અને શરીફના વિવેક અને દ્રઢ નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.
