ભારતે પાકિસ્તાનનાં છ એરબેઝ ઉડાડી નાખ્યાં

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. પાકિસ્તાને તુર્કી અને અન્ય દેશોનાં હથિયારના આશરે સતત બીજા દિવસે ભારતનાં 20થી વધુ શહેરોને નિશાન બનાવ્યાં હતાં, પરંતુ ભારતે તેમના બધા ડ્રોન એટેકને ખતમ કરી દીધા. ભારતની સૈના પાકિસ્તાનને કડક જવાબ આપી રહી છે. ભારતે ઇસ્લામાબાદ સહિત તેના અનેક મિલિટરી બેઝ પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે.

    • ભારતે પાકિસ્તાનના ચકલાલા, રહીમયાર ખાન, મરીદ, સુક્કુર, રફીકી અને ચુનિયા એરબેસને નિશાન બનાવીને ઉડાવી દીધાં છે. ભારતે સુક્કુર એરબેસનો રડાર સિસ્ટમ પણ નાશ કરી નાખ્યો છે.
      • કર્નલ સોફિયા કુરેશીએ હાલની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને દેશની પશ્ચિમી સરહદ પર ફાઇટર જેટ્સ મોકલ્યા હતા અને ગોળીબાર કર્યો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને ઉધમપુર, બઠિંડા અને આધમપુર પર હુમલો કર્યો હતો. સોફિયા કુરેશીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનના છ એરબેસ ઉડાવી દીધા છે.

• સૈન્ય અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું હું અગાઉ પણ અનેક વાર કહી ચૂક્યો છું કે પાકિસ્તાનની હરકતો ઉશ્કેરણીજનક અને તણાવ વધારતી રહી છે. તેના જવાબમાં ભારતે આ ઉશ્કેરણીજનક અને તણાવજનક હરકતોનો જવાબદારીપૂર્ણ અને સંતુલિત રીતે બચાવ કરીને પ્રતિક્રિયા આપી છે.
• પાકિસ્તાની પ્રોપેગેન્ડાના દાવાઓને નકારતાં ભારતે ભારતીય એરસેનાના બેઝની તસવીરો દર્શાવી હતી, જ્યાં કોઇ નુકસાન થયું નથી.

    • આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે નગરોટાનું બ્રહ્મોસ બેઝ અને ચંડીગઢનું ગોલા-બારુદ ડિપો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતના S-400 ડિફેન્સ સિસ્ટમને પણ કોઇ નુકસાન પહોંચ્યું નથી.