વિદ્યાર્થીઓ માટે સાયન્સ સિટીમાં ચકલી જાગૃતિ અભિયાન!

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સાયન્સ સિટીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ અવસરે ડૉ. શબનમ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના મહત્તવ, એના સંરક્ષણ અને પર્યાવરણમાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

ડૉ. શબનમ સૈયદે જણાવ્યું કે, “ચકલી શહેરી વિસ્તારોમાંથી ગુમ થતી જઈ રહી છે, જે પર્યાવરણ માટે ચિંતાજનક બાબત છે.”

તેમણે ચકલી માટે અનુકૂળ માહોલ સર્જવા, પાણી અને અનાજ ઉપલબ્ધ કરાવવા તથા તેના વસવાટ માટે સલામત સ્થળો બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું.

સાયન્સ સિટી તરફથી વિદ્યાર્થીઓને ચકલી માટે બનાવેલા ઘોંસલા પણ આપવામાં આવ્યા અને તેને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવા પણ માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.