વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : સાત્વિક ભોજન જ સારી તંદુરસ્તી આપી શકે

આજના ફૂડ સેફ્ટી ડે ના દિવસે ખોરાકની ગુણવત્તા ને પ્રાધાન્ય અપાયું છે..આ યુગમાં માણસે તંદુરસ્ત રહેવું એ ખૂબજ અગત્યનું પાસું છે. જેમાં સ્વચ્છ હવા, પાણી અને ખોરાક આ દરેક બાબતો ‘હેલ્થ’ માટે જરૂરી છે. એમાંય હેલ્થ સારી રહે એવું પૌષ્ટિક, સ્વચ્છ, તાજું ‘ફૂડ’ જરૂરી છે.

આજની ફાસ્ટ લાઇફમાં આરોગવામાં આવતાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના કારણે લાખો લોકો બિમારી ઓનો ભોગ બની રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકો નિરોગી રહે, સારા સ્વાસ્થ્ય સાથે જીવન જીવે એ થીમ અને હેતુ સાથે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ ( who ) દ્વારા 7 જૂન ના દિવસે ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ ની ઉજવણી કરાઇ રહી છે. 20 ડિસેમ્બર, 2018 થી યુનાઇટેડ નેશન્સ માં ‘સેફ ફૂડ’ના ફાયદા ઓના અનુસંધાને 7 જૂન ના દિવસે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ની જાહેરાત કરાઇ હતી.

સવાર થી સાંજ સુધી શું ખાવું અને ના ખાવું એના પર એક્સપર્ટ સોશિયલ મીડિયા, છાપાં અને ચેનલો પર છણાવટ કરતાં રહે છે. ફૂડ સેફ્ટી માટે પણ ચર્ચા , વિચારણા , કાર્યક્રમો અને કાયદા બનતાં રહે છે. એમ છતાં લોકો ચટાકેદાર , તીખું તળેલું આરોગ્ય બગાડતું ફૂડ આરોગવાનું છોડતાં નથી. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ના કારણે બાળકો અને યુવા અવસ્થામાં જ લાખો લોકો બિમારી ઓની શિકાર બની જાય છે.

ફૂડ સેફ્ટીની અનેક વાતો થાય છે પરંતુ પાલન થતું નથી. અનેક લારી ગલ્લાં ખૂમચા, દુકાનો અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થો ની ગુણવત્તા જળવાતી નથી. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ખાદ્ય પદાર્થોના ભેળસેળના 49991 નમૂના લેવામાં આવ્યા છે. જે પૈકી માત્ર 3486 સેમ્પલ્સમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.

જયારે મદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના ફૂડ હેલ્થ વિભાગ દ્ધારા છેલ્લા 12 વર્ષમાં 24495થી પણ વધારે ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 1178 સબસ્ટાન્ડર્ડ, 823 મિસબ્રાન્ડ, 59 મિસબ્રાન્ડ-સબસ્ટાન્ડર્ડ અને 41 અનસેફ જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પેન્લ્ટી પેટે 7.61 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 1660 કેસ પેન્ડિંગ છે.