કચ્છના ભુજથી મળ્યો ખજાનો..

ભુજના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ચાલતી હતી. જ્યાં હાલમાં હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે. તો ભુજની હાલની હોમગાર્ડ યુનિટ કચેરી અને જૂની મામલતદાર કચેરી થી વર્ષો જૂનો ખડાનો મળી આવ્યો છે. જુના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.

હાલની હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો નીકળ્યો હતો. પટારાની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી છે. રાજશાહી સમયના ચાંદીના આભુષણો તથા અન્ય એન્ટીક વસ્તુઓ મળી આવી છે. જેમાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મૂકાયેલી હતી. હોમગાર્ડના અધિકારીની સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી છે.

શું ખજાનો મળવાનો મામલો? 

ભુજના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ચાલતી હતી. જ્યાં હાલમાં હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે. અહીં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફીસમાં એક જૂનો પટારો રાખેલો હતો, જેનો ટેબલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતું આ પટારામાં શુ છે તે કોઈ ખબર ન હતી. પરંતું જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર ધ્યાન ગયું હતુ. જેથી તેમને કંઈક અંદર હોવાનુ જણાયું હતું. તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનીલ જાદવને જાણ કરી હતી. પ્રાંત અધિકારીએ ગંભીરતા અને સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયણને મોકલાવ્યા હતા તપાસ કરતાં ભૂકંપ સમયે તત્કાલીન જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ જમા કરાઇ હતી તે અહીં સંગ્રહ કરાઇ હતી. તાત્કાલિક આ સ્થળને સીલ મારી દેવાયું હતું. ભૂકંપ સમયે આ વસ્તુઓ જમા કરાઈ હતી જે હવે મળી આવી છે. ઉલ્લેખનીય છે કે,જે તે વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરાયું છે.