PM મોદીનો સુરત પ્રવાસ: રોડ શો માટે તડામાર તૈયારીઓ, 1 લાખથી વધુ લોકો ઉમટવાની શક્યતા

સુરત: 7 માર્ચ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે. PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવાસાથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે.

શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે 8000 પૈકી 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

PM મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલા 30થી વધુ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.લિંબાયત વિસ્તાર મીની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશના 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગિરિ સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે. 7 માર્ચના દિવસે 30 જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે.

બંધ કરાયેલા સીટી બસ અને brts રૂટ 

  • ઉધનાથી સચીન જીઆઈડીસી
  • ઓએનજીસી-સરથણા નેચર પાર્ક
  • ઓએનજીસી કોલોની કોસાડ ઇ.ડબ્લ્યુ.એસ એચ-2
  • અલથાણ ડેપો ટર્મિનલ-અલથાણ ડેપો ટર્મિનલ (એન્ટિક લોકવાઇઝ)
  •  અલથાણ ડેપો-અલથાણ ડેપો (કલોકવાઈઝ)
  • કોસાડ ડેપો-સચિન જી.આઈ.ડી.સી
  • ખરવરનગર-કોસાડ
  • જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ-અલથાણ ડેપો ટર્મિનલ
  • કામરેજ ટર્મિનલ-સચિન સવે સ્ટેશન
  • અડાજણ જી.એસ.આર.ટી.સી ગ્રૂપ (લોકવાઈઝ)
  • અડાજણ જી.એસ.આર.ટી.સી (એન્ટિ-ક્લોકવાઇઝ)
  • અભવા ગામ-રેલ્વે સ્ટેશન (વાયા રીંગ રોડ)
  • રેલ્વે સ્ટેશન-ખજોદ ગામ (વાયા ભીમરાડ ગામ)
  • રેલ્વે સ્ટેશન-ખજોદ ગામ (વાયા રીંગ રોડ)
  • વી.એન.એસ.જી યુનિવર્સિટી-રેલ્વે સ્ટેશન
  • એરપોર્ટથી રેલ્વે સ્ટેશન
  • રેલ્વે સ્ટેશન ટર્મિનલ-ગેઈલ ઈન્ડિયા લિમિટેડ વીઆઈપી રોડ
  • ઉમરા ગામ-કાપોદ્રા (વાયા રીંગ રોડ)
  • ચોક ટર્મિનલ-રાજ અમ્પાયર ગોડાદરા
  • ચોક ટર્મિનલ-સીકે પીઠાવાલા એન્જી.કોલેજ
  • યોક ટર્મિનલ-ભીમપોર
  • ચોક ટર્મિનલ-કાદી ફળિયા ડુમસ
  • કોસાડ ગામ-વી.એન.એસ.જી યુનિવર્સિટી (વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ)
  • કતારગામ-લિંબાયત
  • ખરવરનગર-ડભોલી
  • ખરવરનગર-વેડ ગામ
  • ખરવરનગર-ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
  • ખરવરનગર- ભેસ્તાન ગાર્ડન
  • ખરવરનગર- ભેસ્તાન ગાર્ડન (વાયા બમરોલી)
  • ખરવરનગર-ભેસ્તાન ગાર્ડન (વાયા ગોવાલક
  • એસ.એમ.સી વોર્ડ ઓફિસ લિંબાયત-સંકલ્પ રેસીડન્સી
  • નીલગીરી સર્કલ લિંબાયત-સરથાણા નેચરપાર્ક
  • અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક-ભેરનાન ગાર્ડન
  • અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક-ભેસ્તાન (વાયા સુમન કેશવ)
  • ડીંડોલી-વી.એન.એસ.જી યુનિવર્સિટી
  • ઇસ્કોન સર્કલ-વી.એન.એસ.જી યુનિવર્સિટી
  • ગેલ કોલોની વેસુ-જહાંગીરપુરા