હાર્દિક સામે રાજદ્રોહ કેસનો મામલો: વધુ સુનાવણી 26 ઓક્ટોબરે

:અમદાવાદઃ સેશન્સ કોર્ટમાં આજે હાર્દિક પટેલ સહિત પાટીદાર બંધુઓ પર લગાવામાં આવેલા રોજદ્રોહના કેસ અંગે ચાર્જફ્રેમની પ્રક્રિયા કરવામાં આવવાની હતી જોકે દિનેશ બાંભણિયા પિતાની તબિયત સારી ન હોવાને લીધે કોર્ટ સમક્ષ હાજર ન થતાં કોર્ટે આ મામલે મુદત આપતા વધુ સુનાવણી 26મી ઓક્ટોબરના રોજ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટ સમક્ષ દલીલ કરી કે ગત મુદતે પણ દિનેશ ભામણિયા હાજર રહ્યા ન હતા અને આજે ફરીવાર આવી ઘટના બની છે કે તેઓ હાજર રહ્યા નથી…સરકારી વકીલ દિનેશ ભામણિયા વિરુદ્ધ બિન-જમીન પાત્ર વોરંટ જારી કરવાની વાત કરી હતી…

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પાટેલ સહિતના પાટીદાર બંધુઓ પર રાજદ્રોહની ફરિયાદ દાખલ થઈ હતી જે કેસમાં આરોપીઓ હાલ જમીન પર છે. આ કેસની સુનવણી હાલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે…સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા…