મલ્હાર ઠાકર અદાણી અમદાવાદ મેરેથોનને ‘લીલી ઝંડી’ આપશે

અમદાવાદઃ અદાણી અમદાવાદ મેરેથોનની સાતમી આવૃત્તિ 26 નવેમ્બરે યોજાશે. અદાણી ગ્રુપ દ્વારા આયોજિત આ મેરેથોનને 33 વર્ષીય ગુજરાતી અભિનેતા અને કવિ મલ્હાર ઠાકર દ્વારા ફ્લેગઓફ કરવામાં આવશે. તેઓ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સૌથી જાણીતા ચહેરાઓમાંના એક છે. મલ્હાર સાથે મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે રેસના દિવસે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ પણ હાજર હશે.

 

અદાણી #Run4OurSoldiersમાં ભાગ લેનારાઓની શ્રેણીઓ ફુલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિમી દોડ અને 5 કિમી દોડ છે. એસોસિયેશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ (AIMS) દ્વારા પ્રમાણિત આ મેરથોનમાં રેસ ડિરેક્ટર તરીકે  ખૂબ જ અનુભવી દેવ કન્ડી, વાઇસ-પ્રેસિડેન્ટ અને ટેક્નિકલ ડિરેક્ટર, AIMS જોડાશે. મેરેથોન દરેકને મેડલ જીતવાની તક આપે છે અને સશસ્ત્ર દળોના કલ્યાણ માટે દાન પણ આપે છે.

આ પ્રયાસોને સુવ્યવસ્થિત કરવામાં યુનાઇટેડ વે ઈન્ડિયા ભાગીદાર છે. મેરેથોનના રજિસ્ટ્રેશનમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.  આ મેરથોનમાં ભાગ લેનારાઓ, સશસ્ત્ર દળોના કલ્યાણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, આજીવિકા, પર્યાવરણ, ટકાઉપણું, આપત્તિ રાહત અને પુનર્વસન, વિવિધતા, સમાનતા, સમાવેશ અને એનજીઓની ક્ષમતા નિર્માણ જેવાં કારણોને સમર્થન આપવાનું પસંદ કરી શકે છે. દોડવીરો ચેરિટી બિબ્સ પસંદ કરીને ભંડોળ ઊભું કરવામાં જોડાઈ શકે છે, જે પસંદ કરેલાં કારણો માટે આવકનો એક ભાગ ફાળવે છે.

મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે અદાણી અમદાવાદ મેરેથોન એ ગુજરાત અને ભારતના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ રમતગમતની ઘટનાઓ પૈકીની એક છે અને સાતમા વર્ષમાં તેની સાથે જોડાઈને મને આનંદ થાય છે. મારા માટે રેસને ફ્લેગઓફ કરાવવું એ ખૂબ જ સન્માનની વાત છે. હું દરેકને પ્રોત્સાહિત કરીશ, જેથી અન્ય દોડવીરો અને સશસ્ત્ર દળો પણ પ્રોત્સાહન મળે.

અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેસરાએ જણાવ્યું છે કે અદાણી અમદાવાદ મેરેથોન સેવાભાવના માટેનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે, જે ફિટ અને સ્વસ્થ જીવનશૈલીને પણ પ્રોત્સાહિત કરે છે. એક ફિટ અને સ્વસ્થ રાષ્ટ્ર હંમેશાં તમામ ક્ષેત્રોમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. અમે ઉત્સાહિત છીએ કે શહેરના લોકોએ રેસ માટે ખૂબ જ પ્રેમ સાથે પ્રતિસાદ આપ્યો છે. અમે આશા રાખીએ છીએ કે બધા સહભાગીઓ યોગ્ય સમય સાથે દોડ પૂરી કરે.