સાહિત્યકાર લલિતકુમાર બક્ષીની ચિરવિદાય

વડોદરા – ગુજરાતી ટૂંકી વાર્તાઓ તથા નવલકથાઓના જાણીતા લેખક તથા કટારલેખક લલિતકુમાર બક્ષીનું
એમના અત્રેના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા.

લલિતકુમાર બક્ષી જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષી તથા બકુલ બક્ષીના જ્યેષ્ઠ બંધુ હતા. આ ત્રણે બક્ષી બંધુઓએ ગુજરાતી સાહિત્યમાં પોતપોતાની રીતે આગવું પ્રદાન કર્યું છે.

લલિતકુમાર બક્ષીના નિધન સાથે ગુજરાતી ભાષામાં બક્ષી-યુગનો અંત આવી ગયો છે.

‘ચિત્રલેખા’ મેગેઝિને તેના ‘૬૭ વાર્ષિક વિશેષાંક’ સાથે સામેલ ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’ પુસ્તિકામાં લલિતભાઈની મુલાકાતની વિગત વાંચવા આ લિન્ક પર ક્લિક કરોઃ

http://chitralekha.com/CG_51powerlist2018_LalitBakshi.pdf