રાજ્યમાં કોરોનાના નવા 549 કેસઃ 26 દર્દીના મોત

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મૃત્યુ થયા છે. તો 604 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 28429 કેસ, મૃત્યુઆંક 1711 થયો છે. જ્યારે અત્યારસુધીમાં 20521 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 235, સુરતમાં 174, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5,  મહિસાગરમાં 4, પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ગીર-સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 2, આણંદ 2, પાટણમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લીમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, અમરેલીમાં 1, અન્ય રાજ્યના 3 કેસ નોંધાયા છે.