ગૌતમ અદાણીને એનાયત કરાયો યુએસઆઇબીસી ગ્લોબલ-લીડરશિપ એવોર્ડ

ન્યૂયોર્કઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી – ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીની સફળતા, ઝડપથી વિકસતી અને નવી ઉભરતી વૈશ્વિક ગતિશીલતાને જોતાં આ સદીના સૌથી નિર્ણાયક સંબંધો પૈકીની એક હશે તેમાં કોઈ મતભેદ નથી.

અદાણીએ આ મંતવ્ય પ્રતિષ્ઠિત USIBC ગ્લોબલ લીડરશિપ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ પોતાના સંબોધનમાં વ્યક્ત કર્યું હતું. એમણે વધુમાં કહ્યું હતું કે, યુએસઆઇબીસી ગ્લોબલ લીડરશિપ એવોર્ડ મેળવવો એ મારા માટે સન્માનની વાત છે. ઉદ્યોગ જગતના અનેક માંધાતાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની હાજરીમાં બોલવાની તક પ્રાપ્ત થઇ તે માટે હું આભારી છું. વ્યક્તિગત સ્તરે, હકીકત એ છે કે આ એવોર્ડ ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠના અવસર પર આવ્યો છે ત્યારે તેને વધુ નોંધપાત્ર અને યાદગાર બનાવે છે.

અદાણીએ વધુમાં કહ્યું કે, મુક્ત વેપાર, ખુલ્લાપણું અને એકબીજાની અર્થવ્યવસ્થામાં એકીકરણની બાબતમાં આ સંબંધનું કેન્દ્ર બિંદુ પરસ્પર સ્વીકૃતિ હોવું જરૂરી છે જે શક્યતાઓ કે જે તપાસાઇ નથી એ શ્રુંખલાનો પાયો નાખવા માટે જરૂરી છે. ભૌગોલિક રાજકીય ચિંતાઓ પરત્વે સમાન આધાર આવશ્યક છે પરંતુ તેનો મતલબ નજીવો હશે સિવાય કે તે વ્યવસાયિક સંબંધોના પાયા પર બાંધવામાં આવ્યો હોય. નિષ્પ્રાય વ્યાવસાયિક ઉદ્દેશ્યો વગર વૈશ્વિક સહકાર મોટાભાગે લકવાગ્રસ્ત થતો રહેશે. આ સંદર્ભમાં યુએસઆઇબીસીની ભૂમિકા ઉદ્યોગના અવાજને સરકારી નીતિઓ સાથે જોડવામાં મુખ્ય રહેશે વર્તમાન વિશ્વ વ્યવસ્થાને જોતાં તેની જરૂરિયાત વિશાળ અને હિસ્સો ઘણો મોટો છે.

‘અદાણી ગ્રુપે આ પ્રયાસમાં સહયોગી થવા માટે ૭૦ બિલિયન ડૉલરનું વચન આપ્યું છે. પરિણામે આપણે ભારતમાં ત્રણ ગીગા ફેક્ટરીઓ નિર્માણ થતી જોઈશું જે વિશ્વની સૌથી સંકલિત ગ્રીન-એનર્જી વેલ્યુ ચેઈન પૈકીની એક તરફ દોરી જશે. આ પોલિસીલિકોનથી સોલાર મોડ્યુલ્સ, વિન્ડ ટર્બાઈન્સનું સંપૂર્ણ ઉત્પાદન અને હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સના ઉત્પાદન સુધી વિસ્તરશે. પરિણામે અમે અમારી હાલની ૨૦ ગીગાવોટની ક્ષમતામાં ઉમેરો કરવા માટે વધારાની ૪૫ ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા તેમજ 3 મિલિયન ટન હાઇડ્રોજન પેદા કરીશું આ તમામ ૨૦૩૦ અગાઉ સંપન્ન થશે. આ વેલ્યુ ચેઇન સંપૂર્ણપણે સ્વદેશી અને આપણા દેશની ભૌગોલિક રાજકીય જરૂરિયાતો સાથે બંધબેસતી હશે. જો કે હું માનું છું કે અમારી સાથે કામ કરવા ઇચ્છુક યુ.એસ.ની કંપનીઓના સહયોગથી અમે અમારા લક્ષ્યોને વધુ વેગ આપી શકીએ છીએ જેનાથી આપણે બંનેને ફાયદો થવાનો,’ એમ અદાણીએ વધુમાં કહ્યું.

‘કેટલાક મેક્રો નંબરો ઉપર નજર કરીએ તો જો આપણે ૨૦૫૦ તરફ ઝડપથી આગળ વધીએ તો અમેરિકા અને ભારતીય જીડીપીનું સંયુક્ત મૂલ્ય આશ્ચર્યજનક ૭૦ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે તે વૈશ્વિક અર્થતંત્રનો ૩૫-૪૦% હિસ્સો બનાવશે. બંને દેશોની સંયુક્ત વસ્તી ૨૦૫૦ સુધીમાં બે અબજથી વધુ અને વૈશ્વિક વસ્તીના લગભગ ૨૦% હશે.વધુ મહત્ત્વની વાત એ છે કે, ૨૦૫૦માં પણ આપણા બે રાષ્ટ્રોની સંયુક્ત સરેરાશ વય હજુ પણ ૪૦ વર્ષથી ઓછી હશે. યુરોપ અને ચીન સાથે તેનો વિરોધાભાસ કરીએ તો યુરોપમાં સરેરાશ વય પહેલેથી જ ૪૪ અને ચીનમાં ૪૦ વર્ષ છે, એમ તેમણે વધુમાં કહ્યું.

‘તેથી આ સંજોગોમાં આપણી સમક્ષ કયા વિકલ્પો છે અને યુએસઆઈબીસીએ શું ભૂમિકા ભજવવી જોઈએ? જ્યારે આપણા બંને દેશોના વાર્તાકારો વેપાર પેકેજ અને ટેરિફ નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેનાથી શરુ કરું તો હું માનું છું કે આપણે ખુલ્લી બાબતો ઉપર સહમતી સાધવા માટે પહેલા કરતાં વધુ નજીક છીએ. મને વિશ્વાસ છે કે આપણે તેનો ઉકેલ લાવીશું અને કેટલાક સમાધાનો પરસ્પર સ્વીકારીશું. ટેરિફના પરિણામે વેપાર અને સંબંધોના તમામ પાસાઓ અવરોધાઈ રહ્યા છે તે માન્યતામાં અટવાયેલા રહેવાનું આપણને પોસાઇ શકશે નહી. કેટલાક વ્યુહાત્મક ક્ષેત્રો છે જેમાં આપણે સંયુક્ત રીતે પ્રગતિ કરી પડશે,’ એમ અદાણીએ કહ્યું.

મારે અહીં એ પણ ઉમેરવું જોઈએ કે યુએસઆઈબીસીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નિશા બિસ્વાલ કરેલી કામગીરી અને હાલના પ્રમુખ અતુલ કેશપ દ્વારા કરવામાં આવેલ કાર્ય અસાધારણથી સહેજ પણ ઓછું નથી. તેઓએ યુએસઆઈબીસીને પ્રાસંગિક બનાવ્યું છે અને તેને એ કક્ષા પર લઈ ગયા છે કે જ્યાં તે હવે આપણા દેશો વચ્ચે વ્યાપારી સંબંધોને વેગ આપવા માટે સૌથી નિર્ણાયક મંચ પૈકીનું એક બનવાની સ્થિતિમાં છે.તેઓએ જે પહેલ કરી છે તેના માટે આપણે સહુએ આભાર માનવો જોઈએ અને આપણા રાષ્ટ્રોને એકબીજાની નજીક લાવવામાં સહાયરુપ થવાનું કાર્ય આગળ વધારી રહ્યા છે, એમ અદાણીએ કહ્યું.