PM નરેન્દ્ર મોદીના જીવનદર્શન પરનાં ચિત્રોનું એક્ઝિબિશન

અમદાવાદઃ ભુવનેશ્વર સ્થિત સુવાદ્રા ટ્રસ્ટની એક પાંખ સુવાદ્રા આર્ટ ગેલેરી દ્વારા આયોજિત અને યુવા કલાકારોએ દોરેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વિઝન પરનાં ચિત્રો અને મૂર્તિઓનું રાષ્ટ્રીય પ્રદર્શન અમદાવાદની લલિતકલા આર્ટ ગેલેરીમાં બીજી જૂને શુક્રવારે સાંજે 4.30 કલાકથી ચોથી જૂન સુધી લાગશે.

આ પ્રદર્શનનો સમય સવારે 11 કલાકથી રાત્રે આઠ કલાક સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શન તમામ માટે ખુલ્લું રહેશે.