ગુજરાતમાં કોરોનાનો કહેર, પોઝિટિવ કેસનો આંકડો 190 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારો નોંધાય રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં કેસની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે, જેમાં અમદાવાદ શહેર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બન્યું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કેસનો આંક હવે 190 સુધી પહોંચ્યો છે, જેમાંથી 131 કેસ એકલા અમદાવાદમાંથી નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં 183 નવા કેસ સામે આવ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસ નોંધાયા છે, જેમાં રાજકોટમાં 15, જામનગરમાં 10, મહેસાણામાં 6, ગાંધીનગરમાં 5, ભાવનગરમાં 4, કચ્છમાં 3, બનાસકાંઠા અને ખેડામાં 2-2, તેમજ આણંદ, ભરૂચ, પાટણ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓ હાલ ઘરે જ સારવાર લઈ રહ્યા છે, જે રાહતની બાબત છે.

19 મેના રોજ ગુજરાતમાં કોરોનાના કેસનો આંક માત્ર 7 હતો, પરંતુ દસ દિવસમાં તે વધીને 183 થયો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દર્દીઓમાં વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે, અને અત્યાર સુધી એક દર્દીમાં નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર, સ્થિતિ નિયંત્રણમાં છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ, માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે.