શાંતિ પોલીટેકનીક ફાઉન્ડેશનના 12મા સ્થાપના દિવસની ઉજવણી..

અમદાવાદ સ્થિત “શાંતિ પોલીટેકનીક ફાઉન્ડેશનના” 12મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગારમેન્ટ કટીંગ, સ્ટિચિંગ, મશીન ઓપરેટિંગ જેવી રોજગારલક્ષી તાલીમને સફળતા પૂર્વક પૂર્ણ કરનાર  45 જેટલી તાલીમાર્થી યુવતીઓ અને મહિલાઓને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા. યુવાઓ  અને મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેય સાથે “શાંતિ પોલિટેકનીક ફાઉન્ડેશન” દ્વારા  છેલ્લા 11 વર્ષમાં અમદાવાદની આસપાસના લગભગ 90 ગામોની ત્રણ હજાર યુવતીઓ અને યુવકોને નિશુલ્ક રોજગાર અને વ્યવસાયલક્ષી સફળ તાલીમ આપી પગભર બનાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે ચિરીપાલ પોલિ ફિલ્મસના મેનેજીંગ ડિરેક્ટર “જયપ્રકાશ ચિરીપાલ” ઉપસ્થિત રહ્યાં હતા. સફળ તાલીમાર્થીઓને અભિનંદન આપતા જયપ્રકાશ ચિરીપાલે કહ્યું કે “આવનાર સમયમાં કમ્પ્યુટર, ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી, સ્પિનિંગ વગેરેને લગતા નવા અને નિશુલ્ક કોર્ષ શરૂ કરી વધુ માં વધુ લોકોને તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવવાનો સંસ્થાનો ધ્યેય છે.”  શાંતિ પોલિટેકનીક ફાઉન્ડેશનના ડાયરેક્ટર અરુણ કૌશલ, સંસ્થાના પ્રિન્સિપાલ લાજરશ પરમાર, અન્ય અતિથિઓ, તાલીમાર્થીઓ અને તેમના વાલીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.