અમદાવાદના આ રૂટ પર નીકળતા પહેલાં વૈકલ્પિક રૂટ જાણી લેજો

અમદાવાદ: ગુજરાતમાં બુલેટ ટ્રેન અને મેટ્રો રેલનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે શહેરમાં આગામી દિવસોમાં બુલેટ ટ્રેનના કામગીરીના ભાગરૂપે કેટલાક માર્ગ બંધ રહેવાના છે, જે અંગે ટ્રાફિક પોલીસે બે જાહેરનામા બહાપ પાડ્યા છે. જેમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ઈસનપુરથી વટવા જી.આઈ.ડી.સી. વચ્ચે આવતો પુનિતનગર રેલ્વે ક્રોસીંગ ઉપર અગાઉ બુલેટ ટ્રેનના પીલ્લર ઉભા કરવામાં આવેલા હતા. જે પીલ્લર ઉપર સેગમેન્ટ લગાવવાનું કામકાજ કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને પુનિતનગર રેલ્વે ક્રોસીંગ તા.18/10/2024થી તા.28/10/2024 સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવશે.

દસ દિવસ દરમિયાન આ માર્ગ બંધ રહેવાને કારણે તે સ્થળ ઉપર ટ્રાફિકજામ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી જાહેરનામા દર્શાવ્યા પ્રમાણે ઈસનપુર થી વટવા જીઆઇડીસી જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો વિવિધ ત્રણ રૂટનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ અંતર્ગત પાલડી જલારામ મંદીર પાસે આવેલ અંડરપાસમાં વચ્ચેના ભાગે વેરીંગ કોટનું કામ કરવાનું હોવાથી કલગી તકફના છેડાથી પાલડી તરફના છેડા સુધીનો આશરે 400 મીટરનો એક તરફનો માર્ગ 16 ઓક્ટોબર એટલે કે આજથી લઈ 19 ઓક્ટોબર સુધીના સમયગાળા સુધી બંધ રહેશે.