અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણ પર દાદનું બુલડોઝરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યહાવીમાં લગભગ 2 લાખ ચોરસ મીટર જમીન દબામ મુક્ત કરવામાં આવી. ચંડોળા તળાવમાં બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.
સૂત્રોની જાણકારી પ્રમાણે AMC દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા ચેતવણી આપી ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન એવા લોકો પણ સામે આવ્યા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવવામાં આવ્યા હોવા છતા અહીં વસાહટ કરી હતી. પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટાપાયે તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરાં અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
સમગ્ર કાર્યવાહિને લઈ બાપુનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે પત્રકારોને જણાવ્યું કે, “આ વિસ્તારમાં AMC હસ્તક આવે છે વર્ષોથી લોકો દ્વારા અહીં દબાણ કરવામાં આવ્યું છે. અહીંના લોકોને સર્વે બાદ સરકારી વસાહતોમાં મકાન આપ્વામાં આવ્યા હતા. પરંતુ તે લોકો ફરી અહીં છાપરાના બાંધકામ કરી રહેવા લાગ્યા છે. થોડા સમય અગાઉ રખિયાલમાં પોલીસને તલવાર-ચપ્પુ બતાવી ધમકાવનારા અસામાજિક તત્વો પણ અહીં જ રહેતા હતા.” આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર 2 એસીપી, 9 પીઆઇ, 27 પીએસઆઈ, 400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્સનનો બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો હતો.
