અદાણી એનર્જી સોલ્યુશન્સને ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’

અમદાવાદઃ  વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL)ને મોરેશિયસમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ દ્વારા ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ-૨૦૨૩થી નવાજવામાં આવી છે. પાવર સેકટરમાં એક અગ્રણી સંશોધક તરીકે હરિયાળા ભવિષ્યનું સર્જન કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ કંપનીએ અપનાવેલા ટકાઉ આયામોને આ એવોર્ડ એક પ્રોત્સાહક અનુમોદન છે.

ટકાઉપણાના ઉપાયોની રાહબરી કરી ઉત્કૃષ્ઠ કાર્યવાહીનું પ્રદર્શન કરતાં સંગઠનોને દર વરસે ‘ધ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’ આપવામાં આવે છે. એવોર્ડ સમિતિએ કંપનીના સંશોધનાત્મક ઉકેલો,પર્યાવરણના પ્રભાવને ઘટાડવા અને ટકાઉપણાના આયામોને ઉત્તેજન માટેના સમર્પણથી પ્રભાવિત થઇ તેને માન્ય કર્યા છે.

વર્લ્ડ સસ્ટેનેબિલિટી એક બિનનફાકારક સંગઠન છે, જે ટકાઉપણાના નેતૃત્વની હિમાયત કરે છે. ઊજળી ભવિષ્ય માટે ટકાઉ વ્યવસાયિક આયામો અને ઉકેલો તલાશવા અને તે માટે શિક્ષણ આપવા માટે સંગઠનો, બિનસરકારી સંસ્થાઓ, જાહેર હિતમાં રુચિ લેતાં જૂથો અને સરકારી સંસ્થાઓને એક મંચ ઉપર લાવવા પ્રયાસ કરે છે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા સન્માનભાવ વ્યક્ત કર્યો હતો. અમારા પ્રયાસોને એક પ્રોત્સાહક માન્યતા મળવા સાથે હરિયાળા અને વધુ લાંબા ગાળાના ભવિષ્યના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં સતત આગળ વધવાની આ એવોર્ડ પ્રેરણા આપે છે

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટકાઉપણા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને વિશ્વને વધુ સરસ બનાવવાના તેના સતત પ્રયત્નોના પ્રમાણપત્ર તરીકે કંપનીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કંપની તેની સમર્પિત ટીમ, હિસ્સેદારો અને ગ્રાહકોને ટકાઉપણું તરફની આ સફરમાં મળેલા તેમના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.