દિવાળીમાં મુસાફરો માટે 278 સ્પેશિયલ ટ્રેન દોડશે

દિવાળીના તહેવારમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે રેલવે વિભાગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનમાં મુસાફરો વધારે મુસાફરી કરતા હોય છે. જેના પગલે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને હાલાકી ન પડે જેને લઈ 278 સ્પેશ્યલ ટ્રેન દોડશે તેવી જાહેરાત કરાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ 22, રાજકોટ 9, ભાવનગર 4, વડોદરા 4 તેમજ ઉધના સુરત અને વાપીથી 21 ટ્રેન દોડશે. જ્યારે અન્ય સ્ટેશન પર પણ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની ભીડ વધુ હોય ત્યાં વધુ ટ્રેન ફાળવાઈ છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતને ધ્યાને રાખી ફાળવણી કરાઈ છે. આ સિવાય હાવડા અને સદન માટે પણ ટ્રેન જાહેર કરાઈ છે. અત્રે જણાવીએ કે, જાહેર કરેલ સ્પેશિયલ ટ્રેનનુ બુકિંગ શરૂ કરાયું છે. વડોદરા સ્ટેશન પર બરૌની એક્સપ્રેસ પ્લેટફોર્મ 2ના બદલે 1 પર ચાલશે જ્યારે બાંદરા ટર્મિનસની અવધ એક્સપ્રેસ વડોદરા પ્લેટફોર્મ 6 પરથી ચાલશે. આપને જણાવીએ કે, નક્કી કરેલા પ્લેટફોર્મ પર પહોચવા માટે રેલવ ની મુસાફરોને અપીલ કરવામાં આવી છે.