રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ છે તો ક્યાંક ચોમાસાની જેમ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ઉનાળું શરૂ હજી પણ ચાર દિવસોમાં શરૂ થાય નહીં તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.

 

આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે, 21 માર્ચનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

22 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. 23 માર્ચના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.

રવિવારે મોડી સાંજે ગાંધીનગર અને અમદાવાદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં તેજ પનવ, કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે. ખેડૂતોને પાકના નુકસાનની ભીતિ છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં કેટલાક દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ અને કરા પડી રહ્યા છે.